કો’ક દિ જો તુ મને ભુલી જશે તો શું થશે?
લાગણી અકબંધ છે એ તુટી જશે તો શું થશે?

હું પછી ધીમે ધીમે મારા સ્મરણ ભુલી જઇશ,
આંખમાંના અશ્રુઓ પણ ખુટી જશે તો શું થશે?

પર્વતો એ હાથ ફેલાવીને કહયું કે ઓ ખુદા,
માર્ગ દરિયાનો નદી ભુલી જશે તો શું થશે?

તુ કંઇક કેહશે એ વિચારે સમય ખામોશ છે,
તુ નહિ કેહશે ને સમય વિતી જશે તો શું થશે????

Post a Comment

0 Comments